Friday, June 6, 2025
Google search engine
HomeNewsNationalAIMIM નેતા તાહિર હુસૈનને ચૂંટણીપ્રચાર માટે શરતી જામીન મંજૂર

AIMIM નેતા તાહિર હુસૈનને ચૂંટણીપ્રચાર માટે શરતી જામીન મંજૂર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે AIMIM નેતા અને મુસ્તફાબાદ સીટથી ઉમેદવાર તાહિર હુસૈનને 29 જાન્યુઆરીથી ત્રીજી ફેબ્રુઆરી સુધી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે કસ્ટડી પેરોલ આપ્યા છે. તાહિર હુસૈન દિલ્હી રમખાણોના કેસમાં જેલમાં બંધ છે.  

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે  હુસૈનને 29 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી દિવસના સમયે (જેલ મેન્યુઅલ મુજબ 12 કલાક માટે) ચૂંટણીપ્રચાર માટે મુક્ત કરવામાં આવશે. કોર્ટે હુસૈનને રૂ. 2.07 લાખ રૂપિયાની એડવાન્સ રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આ બે દિવસનો પોલીસ સુરક્ષા ખર્ચ છે.

કોર્ટે તાહિરને આ કેસ પર ટિપ્પણી ન કરવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે તાહિર તેના ઘરે ​​​​​​(અહેવાલ મુજબ જ્યાં રમખાણો થયાં હતાં) નહીં જાય, જે મુસ્તફાબાદ મતવિસ્તારની નજીક છે. હુસૈન અને અધિકારીઓ એક હોટેલમાં જ રોકાશે.

સુપ્રીમ કોર્ટે તાહિર હુસૈનના વકીલને પૂછ્યું કે આ સિવાય બીજા કેટલા કેસ છે, જેમાં જામીન મળ્યા નથી. તેણે કહ્યું કે બે કેસમાં જામીન માટેની તેની અરજી ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ છે. જો કોર્ટ વચગાળાના જામીન આપશે તો તે ઘરે નહીં જાય, પરંતુ હોટેલમાં રહેશે.તાહિર હુસૈન દિલ્હી રમખાણોના આરોપમાં 4 વર્ષ 9 મહિનાથી જેલમાં છે. 22 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટની બે જજની બેંચ તાહિરની જામીન અરજી પર સર્વસંમતિ પર પહોંચી શકી ન હતી. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા તાહિરને જામીન આપવાની તરફેણમાં હતા, જ્યારે જસ્ટિસ પંકજ મિત્તલે અરજી ફગાવી દીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular