Friday, August 15, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકામાં ફરી હિન્દુ મંદિર પર હુમલો, 'હિન્દુઓ પાછા જાઓ'ના લખ્યા નારા

અમેરિકામાં ફરી હિન્દુ મંદિર પર હુમલો, ‘હિન્દુઓ પાછા જાઓ’ના લખ્યા નારા

મુંબઈ: અમેરિકામાં ફરી એકવાર મંદિરને નિશાન બનાવવાના સમાચાર સામે આવ્યા છે. 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ હિન્દુ ધાર્મિક સ્થળ પર હુમલો થયો છે. તાજેતરનો કેસ કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીનો છે. સેક્રામેન્ટો માથેર એરપોર્ટની દક્ષિણે સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે પણ હિન્દુ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. હુમલાખોરોએ લખ્યું હતું ‘હિન્દુઓ ગો બેક’. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ વાંધાજનક શબ્દો લખવામાં આવ્યા હતા.

મંદિર સાથે જોડાયેલી પાઈપલાઈન પણ કપાઈ હતી

જ્યારે સ્થાનિક અધિકારીઓને આ અંગેની માહિતી મળી તો તેઓએ સ્થળ પર જઈને તપાસ કરી હતી. તેણે જોયું કે મંદિર સાથે જોડાયેલ પાઈપલાઈન પણ કપાઈ ગઈ હતી. આ પહેલા ન્યૂયોર્કના સ્વામી નારાયણ મંદિરમાં પણ આવી ઘટના બની હતી. ન્યૂયોર્કના સ્વામી નારાયણ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.

અમેરિકામાં હિંદુ મંદિર પર થયેલા હુમલા પર BAPS પબ્લિક અફેર્સે ‘X’ પર લખ્યું, છેલ્લા 10 દિવસમાં ન્યૂયોર્ક, સેક્રામેન્ટો અને CA વિસ્તારમાં અમારા મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત રાત્રે પણ હિંદુ વિરોધી સૂત્રો લખીને તેને અપવિત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અમેરિકન સાંસદે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી

આ ઘટના પર યુએસ કોંગ્રેસમેન રો ખન્નાએ કહ્યું કે હિંદુ અમેરિકનો પ્રત્યે આ પ્રકારની નફરત અને બર્બરતા ભયાનક અને નૈતિક રીતે ખોટી છે. ન્યાય વિભાગે આ અપ્રિય ગુનાઓની તપાસ કરવી જોઈએ, અને જવાબદાર લોકો કાયદાની સંપૂર્ણ હદ સુધી જવાબદાર હોવા જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular