Wednesday, May 14, 2025
Google search engine
HomeNews'એબી ડી વિલિયર્સ આઈપીએલમાં ખોટી ફ્રેન્ચાઇઝી માટે રમ્યો', આ દિગ્ગજ ખેલાડીએ આપ્યું...

‘એબી ડી વિલિયર્સ આઈપીએલમાં ખોટી ફ્રેન્ચાઇઝી માટે રમ્યો’, આ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મોટું નિવેદન

IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. RCB અત્યાર સુધી એક પણ IPL ટાઇટલ જીતી શક્યું નથી, પરંતુ તેમ છતાં ચાહકો ટીમને ખૂબ પસંદ કરે છે. કોહલીને કારણે ટીમ ખૂબ જ પ્રિય છે. હવે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સંજય માંજરેકરે વિરાટ કોહલીની ટીમ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે એબી ડી વિલિયર્સ ખોટી ફ્રેન્ચાઇઝી માટે રમ્યો હતો.

સંજય માંજરેકરને એબી ડી વિલિયર્સ અને સૂર્યકુમાર યાદવ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આના જવાબમાં તેમણે કહ્યું કે ડિવિલિયર્સને આઈપીએલમાં એક મહાન ખેલાડી તરીકે જોઈ શકાયો હોત, પરંતુ તે ખોટી ફ્રેન્ચાઇઝી માટે રમ્યો.

એબી ડી વિલિયર્સ અને સૂર્યકુમાર યાદવ વિશેના પ્રશ્નના જવાબમાં સંજય માંજરેકરે કહ્યું, “એબી શાનદાર હતો. એબીની મહાનતા એ હતી કે તેની ટેસ્ટમાં સરેરાશ ૫૦ હતી. વનડેમાં પણ. એટલા માટે તે એક મહાન ખેલાડી છે. પરંતુ તમે ફક્ત ટી20 ક્રિકેટ જુઓ, જયારે હું બંને ખૂબ જોઉં છું.”

IPL વિશે વધુ વાત કરતાં સંજય માંજરેકરે કહ્યું, “IPLમાં એબીની વાસ્તવિક ક્ષમતા પ્રમાણે એનો યોગ્ય રીતે ઉપયોગ થયો ન હતો. તેથી, IPLમાં અમને તેની પાસેથી ઘણું બધું મળ્યું નહીં. અને હા, માફ કરશો, પરંતુ જો તે રમ્યો હોત તો તે ખોટી ફ્રેન્ચાઇઝી માટે હતો.” બીજે ક્યાંક હોત, તો આપણે તેમની મહાનતા જોઈ હોત.”

 એબી ડી વિલિયર્સની આઈપીએલ કારકિર્દી

ડી વિલિયર્સે 2008 માં દિલ્હી કેપિટલ્સ માટે પોતાની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી 2011 માં, ડી વિલિયર્સ RCB ટીમમાં જોડાયો અને જ્યાં સુધી તેની IPL કારકિર્દી સમાપ્ત ન થઈ ત્યાં સુધી તેણે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહીં. એબી 2021 સુધી આરસીબી માટે રમ્યો. તેમણે પોતાની IPL કારકિર્દીમાં ૧૮૪ મેચ રમી, ૧૭૦ ઇનિંગ્સમાં બેટિંગ કરીને ૩૯.૭૦ ની સરેરાશ અને ૧૫૧.૬૮ ના સ્ટ્રાઇક રેટથી ૫૧૬૨ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેણે 3 સદી અને 40 અડધી સદી ફટકારી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular