Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalબંગાળમાં આધાર કાર્ડનો નવો વિકલ્પ મળશે : મમતા બેનર્જી

બંગાળમાં આધાર કાર્ડનો નવો વિકલ્પ મળશે : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો હતો કે રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતીઓના આધાર કાર્ડને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે. તેણીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય નાગરિક નોંધણી લાવતા પહેલા ષડયંત્રના ભાગરૂપે આ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હું આવું થવા દઈશ નહીં. મમતા બેનર્જીએ લોકોને ખાતરી આપી કે તેઓ બંગાળને આધાર કાર્ડનો નવો વિકલ્પ આપશે. તેમણે એ પણ વચન આપ્યું હતું કે બંગાળમાં NRC લાગુ થવા દેવામાં આવશે નહીં.


મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળમાં લોકસભા ચૂંટણી પહેલા આટલા બધા આધાર કાર્ડને કેમ નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને માતુઆ સમુદાય સાથે આવું થઈ રહ્યું છે. હજારો નામો હટાવી રહ્યા છે, આ લોકોનું શું પ્લાનિંગ છે? શું તેઓ અહીં ડિટેન્શન કેમ્પ બનાવવા માગે છે? મમતા બેનર્જીએ કહ્યું કે જે મટુઆ સમુદાય સાથે આવું કરવામાં આવી રહ્યું છે તે ખેતરોમાં કામ કરતા ગરીબ મજૂરો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular