Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentપુષ્પાના પ્રીમિયરમાં એક મહિલાનું મોત, અલ્લુ અર્જુન 25 લાખની કરશે સહાય

પુષ્પાના પ્રીમિયરમાં એક મહિલાનું મોત, અલ્લુ અર્જુન 25 લાખની કરશે સહાય

મુંબઈ: એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ ગુરુવારે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન નાસભાગને કારણે એક મહિલાનું પણ મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બાદ એક્ટર અલ્લુ અર્જુને એક વીડિયો જાહેર કરીને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.

અલ્લુ અર્જુને વીડિયો જાહેર કર્યો અને કહ્યું,”ગઈકાલે અમે પુષ્પા 2 મૂવીનું પ્રીમિયર જોવા માટે આરટીસી એક્સ રોડ પર સંધ્યા થિયેટરમાં ગયા હતા. અણધારી રીતે ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ. બીજા દિવસે સવારે અમને ખબર પડી કે એ ભીડમાં એક પરિવાર પણ હતો. ત્યાં નાસભાગમાં રેવતી નામની એક મહિલા, જે બે બાળકોની માતા હતી, અચાનક મૃત્યુ પામી. જ્યારે મને તેના વિશે ખબર પડી, ત્યારે હું, સુકુમાર ગરુ, પુષ્પાની આખી ટીમ, અમે બધા અચાનક નિરાશ થઈ ગયા. અમને આની બિલકુલ અપેક્ષા નહોતી, કારણ કે હું લગભગ 20 વર્ષથી થિયેટરમાં જઈ રહ્યો છું અને ફિલ્મો જોઉં છું. આવું ક્યારેય બન્યું નથી. આ અચાનક થયું ત્યારે અમે ચોંકી ગયા. આ સમાચાર જાણીને અમે અને અમારી આખી ટીમ પુષ્પા સમારોહમાં સક્રિયપણે ભાગ લઈ શક્યા નહીં. ખૂબ દુઃખ થયું.”

અલ્લુ અર્જુને કહ્યું,”અમે ફિલ્મો બનાવીએ છીએ. લોકો થિયેટરોમાં આવે છે અને આનંદ માણે છે. મને એ પણ ખબર નથી કે આવા થિયેટરમાં આવી ઘટના પર કેવી પ્રતિક્રિયા આપવી. આ વાત શબ્દોમાં પણ કહી શકાય તેમ નથી. મારા અને ટીમ પુષ્પા વતી સમગ્ર રેવતી પરિવાર પ્રત્યે મારી સંવેદના.હવે આપણે ગમે તેટલું કરીએ તો પણ આપણે તે નુકસાનને પાછું નહીં લઈ શકીએ. પરંતુ, અમે અમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ પરિવારને જે જોઈએ તે કરવા તૈયાર છીએ. તમને ખાતરી આપવા માટે કે હું તમારા માટે છું, હું પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપી રહ્યો છું. તેમના બાળકને ગમે તેટલી મદદની જરૂર હોય, કોઈપણ સમયે આપવા હું તૈયાર છું. અમે અત્યાર સુધી થયેલા મેડિકલ ખર્ચનું પણ ધ્યાન રાખીશું.”

પોલીસે ગુનો નોંધ્યો હતો
તમને જણાવી દઈએ કે ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર શો દરમિયાન ભગદોડમાં ગૂંગળામણને કારણે એક મહિલાના મૃત્યુના સંબંધમાં અભિનેતા અલ્લુ અર્જુન અને અન્ય લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાની ઓળખ 35 વર્ષીય રેવતી તરીકે થઈ છે. મહિલાની સાથે તેનો 13 વર્ષનો પુત્ર પણ ગૂંગળામણથી પીડાતો હતો અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે મહિલાના પુત્રને 48 કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. મૃતકના પરિવારની ફરિયાદના આધારે, અભિનેતા, તેની સુરક્ષા ટીમ અને સિનેમા હોલ મેનેજમેન્ટ વિરુદ્ધ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular