Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratસાચવજો ! રોગચાળો વકરતા આ શહેરમાં પાણીપુરી પર મુક્યો પ્રતિબંધ

સાચવજો ! રોગચાળો વકરતા આ શહેરમાં પાણીપુરી પર મુક્યો પ્રતિબંધ

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે હાલ વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરામાં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.VMCના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને સૂચના આપી છે કે જો શહેરમાં પાણીપુરીનું વેચાણ કરવામાં આવશે તો તેમની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવે છે.

વડોદરા માં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ

વડોદરા શહેરમાં મનપાએ 10 દિવસ માટે લારીઓ કે રેસ્ટોરેન્ટમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકયો છે, એક બાજુ વરસાદની સિઝન ચાલી રહી છે. ત્યારે આ સિઝનમાં રોગચાળાએ પણ માજા મૂકી છે. ત્યારે ગઈ કાલે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વિવિધ સ્થળો પર દરોડા પાળવામાં આવ્યા હતા. આ દરોડામાં ઘણી બધી અખાદ્ય સામગ્રી મળી આવી હતી.જેમા માંજલપુર વિસ્તારમાં પાણીપુરી બનાવનારને ત્યાં ગંદકી જોવા મળી છે.

રોગચાળો કાબુમાં નહીં આવે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે

આ દરોડામાં 25 કિલોથી વધુ સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો છે જ્યારે 3 કિલોથી વધુ અખાદ્ય ચણાનો નાશ કરાયો છે.આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે શહેરમાં જ્યાં સુધી રોગચાળો કાબુમાં નહીં આવે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular