Tuesday, June 17, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદના ચંડોળા તળાવમાં ડૂબવાથી ત્રણ બાળકોનાં મોત

અમદાવાદના ચંડોળા તળાવમાં ડૂબવાથી ત્રણ બાળકોનાં મોત

અમદાવાદ: તાજેતરમાં જ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવને રિડેવલોપમેન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે ચંડોળા તળાવમાં ખાડા ખોદવામાં આવ્યા છે. વરસાદના લીધે ખાડામાં ભરાયેલા પાણીમાં ત્રણ બાળકો પડી જતાં ત્રણેય બાળકોના મોત નિપજ્યા છે.

માહિતી અનુસાર સોમવારે બપોરથી બાળકો ગુમ થતાં પરિવારજનોએ અને સ્થાનિકોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઇ ભાળ મળી ન હતી. ત્યારબાદ મોડી રાત્રે તળાવ પાસે જ્યાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં તપાસ કરતાં ત્રણેય બાળકો ડૂબેલા જોવા મળ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. પરિવારજનો તંત્ર સામે બેદરકારીના આક્ષેપ કરી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular