Friday, May 23, 2025
Google search engine
HomeNewsGujaratરાજકોટ આગ દુર્ઘટના, PMએ વ્યક્ત કર્યું દુઃખ

રાજકોટ આગ દુર્ઘટના, PMએ વ્યક્ત કર્યું દુઃખ

ગુજરાતના રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધીને 32 થયો છે. બપોરે લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટના શનિવારના રોજ બની હતી અને રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આગ પાછળનું કારણ શું છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાનો મેસેજ આપવામાં આવ્યો છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, રાજકોટમાં આગની ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલો માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય મદદ કરી રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular