Saturday, June 14, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં આજે કોરોનાના 176 કેસ નોંધાયા, 1નું મોત

ગુજરાતમાં આજે કોરોનાના 176 કેસ નોંધાયા, 1નું મોત

ગુજરાતમાં બે દિવસની રાહત બાદ કોરોના ફરી વકર્યો છે. આજે કોરોનાના રાજ્યમાં વધુ 176 કેસ સામે આવ્યા છે. જ્યારે કે ભરૂચમાં એક મોત નીપજ્યું છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 90 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, હોળી – ધુળેટીના તહેવારો બાદ રોગચાળાનું પ્રમાણ વધતું હતું તેમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે વધી રહ્યું છે ત્યારે લોકોએ હવે સાવચેતીના ભાગરૂપે સતર્ક રહેવું પડશે નહીંતર બીજા વેવ જેવી પરિસ્થિતિ ઉદભવે તો નવાઈ નહીં.

ક્યાં શહેર – જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોપોરેશન 89 અમદાવાદ 1 અમરેલી 3 ભરૂચ 1 ભાવનગર કોપોરેશન 2 દાહોદ 1 દેવભૂમિ દ્વારકા 1 ગાાંધીનગર 4 ગાાંધીનગર કોપોરેશન 2 જામનગર કોપોરેશન 2 જુનાગઢ કોપોરેશન 1 ખેડા 2 મહેસાણા 16 નવસારી 3 પાટણ 1 પોરબંદર 3 રાજકોટ 4 રાજકોટ કોપોરેશન 15 સુરત 3 સુરત કોપોરેશન 15 સુરેન્દ્રનગર 1 વડોદરા કોપોરેશન 6 કેસ નોંધાયો છે.

એક્ટીવ કેસનો આંક 916, 3 દર્દી વેન્ટિલેટર ઉપર

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 176 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 90 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 69 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 916 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં ચાર દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular