રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જેઓ ભારતીય સંરક્ષણ દળોના સુપ્રીમ કમાન્ડર છે, એમણે 13 ફેબ્રુઆરી, ગુરુવારે લોનાવલામાં આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌકાદળની પ્રશિક્ષણ સંસ્થા 'INS શિવાજી'ને 'પ્રેસિડન્ટ કલર'થી સમ્માનિત કરી હતી. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે કહ્યું કે 'INS શિવાજી' સંસ્થાએ આટલા વર્ષોમાં દેશ માટે સમર્પિત કરેલી શાનદાર સેવા બદલ અને નૌકાદળમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ દેશ એને સલામ કરે છે.