Monday, June 9, 2025
Google search engine
HomeGalleryEventsમુંબઈ નજીકના ભાયંદરમાં મીઠું પકવતા અગરીયા...

મુંબઈ નજીકના ભાયંદરમાં મીઠું પકવતા અગરીયા…

હાલ કોરોના વાઈરસના ફેલાવાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે, આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ વેપાર-ધંધા, નોકરી-રોજગાર બંધ છે ત્યારે મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભાયંદર ઉપનગરના પશ્ચિમ ભાગમાં, ઉત્તન વિસ્તારમાં મીઠાના અગરો ખાતે અગરીયાઓ દ્વારા મીઠું (અગર) પકવવાની પ્રવૃત્તિઓ કોઈ પ્રકારના અવરોધ વગર ચાલતી જોવા મળી છે. મીઠું પાકવા માટે આ વિસ્તાર દાયકાઓથી જાણીતો છે. મીઠાનો એક પાટો (ક્યારો) આશરે ૧૦૦x૧૫૦ ફૂટનો હોય છે. મીઠું પાકવાનું શરૂ થાય ત્યારથી રોજ સવારે સૂર્યોદય પહેલા કામની શરૂઆત થઈ જાય છે. (તસવીરોઃ દીપક ધુરી)

મીઠું માણસજાત સાથે હજારો વરસોથી જોડાયેલું છે. માનવ સભ્યતા સ્થાયી થઈ અને રાંધેલો-પાકેલો ખોરાક ખાતી થઈ ત્યારથી મીઠું ખોરાકના માધ્યમથી લોકોને જોડતું થયું છે. ભારતની આઝાદીમાં મીઠાએ પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. (રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા દાંડી-ગુજરાતમાં મીઠાનો સત્યાગ્રહ કે દાંડી સત્યાગ્રહ કે દાંડી કૂચ કે અહિંસક સવિનય કાનૂનભંગ ચળવળ – માર્ચ/એપ્રિલ 1930)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular