Sunday, May 18, 2025
Google search engine
HomeGalleryEventsમુંબઈઃ 26/11 આતંકી હુમલાઓની 15મી વરસીએ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ

મુંબઈઃ 26/11 આતંકી હુમલાઓની 15મી વરસીએ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ

2008ની 26 નવેમ્બરે મુંબઈમાં કરવામાં આવેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓની રવિવાર, 26 નવેમ્બરે શોકપૂર્વક 15મી વરસી મનાવવામાં આવી. ઉપરની તસવીર દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની છે જ્યાં 26 નવેમ્બરની એ ગોઝારી રાતે આતંકવાદીઓ ત્રાટક્યા હતા અને બેફામ ગોળીબાર કરીને અસંખ્ય લોકોને મારી નાખ્યા હતા. સ્ટેશન ખાતે બનાવવામાં આવેલા શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રેલવે પોલીસ દળના જવાનો અને દળના સ્વાન.
શહીદ સ્મારક ખાતે પુષ્પચક્ર અર્પણ કરતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે.
મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા અન્ય પ્રધાનો તથા પોલીસ અધિકારીઓ.
2008ની 26 નવેમ્બરે દક્ષિણ મુંબઈની કામા એન્ડ એલ્બલેસ હોસ્પિટલમાં પણ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં માર્યા ગયેલા પોતાના સહયોગીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોસ્પિટલનાં કર્મચારીઓ.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular