વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા કોલકાતા પોર્ટ ટ્રસ્ટના 150મા સ્થાપનાદિન નિમિત્તે 12 જાન્યુઆરી, રવિવારે કોલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત સમારોહમાં હાજરી આપી હતી અને કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામકરણ કર્યું હતું. આ પોર્ટ હવેથી શ્યામાપ્રસાદ મુખરજી પોર્ટ તરીકે ઓળખાશે, જેઓ ભારતીય જનસંઘના સ્થાપક હતા.