Saturday, June 7, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentભગવાનમાં નથી માનતા આ નાસ્તિક બૉલિવૂડ સ્ટાર્સ

ભગવાનમાં નથી માનતા આ નાસ્તિક બૉલિવૂડ સ્ટાર્સ

મુંબઈ: ઘણા એવા સ્ટાર્સ છે જેઓ ભગવાનમાં માનતા નથી. જ્યાં રત્ના પાઠક શાહે કરવા ચોથના વ્રતને ગાંડપણ ગણાવ્યું છે, તો સોનમ કપૂરે પણ હિંદુ રીતિ-રિવાજોનું પાલન કરવાનો ઇનકાર કર્યો છે. આ લિસ્ટમાં એવા ઘણા સિતારાઓના નામ પણ સામેલ છે જેઓ પોતે પૂજામાં માનતા નથી પરંતુ ભગવાનની પૂજા કરનારાઓની વિરુદ્ધ પણ નથી.

કમલ હસન

પાન ઈન્ડિયાના સુપરસ્ટાર કમલ હાસન પહેલા જ ભગવાનમાં તેમની શ્રદ્ધા વિશે વાત કરી ચૂક્યા છે. તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે પૂજામાં માનતા નથી પરંતુ તેને તેનાથી કોઈ વાંધો નથી.

રાહુલ બોસ

અભિનેતા રાહુલ બોસ બોલિવૂડનો જાણીતો ચહેરો છે, જો કે તેણે ઘણા સમય પહેલા ભગવાનમાં તેની શ્રદ્ધા વિશે સ્પષ્ટ વાત કરી હતી, પરંતુ તેણે કહ્યું હતું કે તે પૂજામાં માનતા નથી.

જાવેદ અખ્તર


બૉલિવૂડના દિગ્ગજ સંગીતકાર જાવેદ અખ્તરના નામથી બધા અવગત જ છે તેમને પરિચયની કોઈ જરૂર નથી, તે માને છે કે આપણે માત્ર સારા કાર્યો કરતા રહેવું જોઈએ.

ફરહાન અખ્તર

અભિનેતા ફરહાન અખ્તર પણ ભગવાનમાં માનતા નથી, તેણે પોતાને નાસ્તિક ગણાવ્યા છે, ઈરાની પારસી પરિવારમાં જન્મેલા અખ્તરે કહ્યું છે કે તે નાસ્તિક છે અને કોઈ ધર્મમાં નથી માનતા.

સોનમ કપૂરે આ વાત કહી

સોનમ કપૂરે તેના પુત્ર વાયુના અન્નપ્રાશનની એક ઘટના સંભળાવી, જેમાં તેણે પંડિતજીને તેના પુત્રને મધ ખવડાવવાની સ્પષ્ટ ના પાડી. અભિનેત્રીએ કહ્યું કે તે રિવાજોના નામે કંઈ પણ ના કરી શકે.

રત્ના પાઠક શાહ

કરવા ચોથ પર વ્રત રાખવાના સવાલ પર બોલિવૂડ એક્ટ્રેસ રત્ના પાઠક શાહે કહ્યું હતું કે તે પાગલ છે જે પોતાનો પ્રેમ સાબિત કરવા માટે ભૂખ્યા રહે છે. તે એક શિક્ષિત મહિલા છે જે આવું ના કરે.

જ્હોન અબ્રાહમ


અભિનેતા જ્હોન અબ્રાહમ પણ કોઈ પણ પ્રકારના ભગવાનમાં માનતા નથી.જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જેઓ ભગવાનની પૂજા કરે છે તેમનાથી તેને કોઈ સમસ્ પણ નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular