Tuesday, June 10, 2025
Google search engine
HomeGalleryCultureપ્રજાસત્તાક દિન 2020: ગુજરાતના ટેબ્લોમાં 'રાણીની વાવ'ની ઝાંખી...

પ્રજાસત્તાક દિન 2020: ગુજરાતના ટેબ્લોમાં ‘રાણીની વાવ’ની ઝાંખી…

[ch_gallery gid=194731]

રાણીની વાવની વિશેષતાઓઃ

  • વાવની લંબાઈ આશરે 68 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે
  • ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલકે મોટું આધ્યાત્મિક મહત્ત્વ પણ ધરાવે છે.
  • જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઇને, કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઇને તમને ઊંડા કૂવાઓ સુધી લઈ જાય છે. અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે એટલે કે ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો.
  • લોકજીવન સાથે સંલગ્ન સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
  • ઉત્તમ સ્થાપત્ય અને વાસ્તુશાસ્ત્રનો લાલિત્યપૂર્ણ શિલ્પકલા સાથે સુભગ સમન્વય
  • અનોખું બાંધકામ- સાત મજલા અને 340 થાંભલાઓ
  • વાવની દીવાલો પર શૈવ અને વૈષ્ણવ માર્ગનાં અવર્ણનીય શિલ્પો
  • આ વાવનું બાંધકામ પૂર્વ-પશ્ચિમ: પૂર્વમાં પ્રવેશદ્વાર, પશ્ચિમ તરફ જળકુંડ
  • લગભગ 40 વર્ષ સુધી ચાલેલ રાણકી વાવનું બાંધકામ
  • અનુપમ કોતરણી ધરાવતા 340 સ્તંભો (થાંભલા)
  • શૈવ-વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત અન્ય દેવી-દેવતાઓનાં શિલ્પો
  • શિવ, પાર્વતી, વિષ્ણુ, રામ, સૂર્ય, માતા દુર્ગા, ચામુંડા, મહાલક્ષ્મી, કુબેર આદિની મનોહર પ્રતિમાઓ
  • અપ્સરાઓ, યોગિનીઓના શિલ્પમાંથી પ્રગટતું અનુપમ દેહલાલિત્ય
  • કમનીય કાયા પર સોળ શૃંગાર દર્શાવતાં મોહક નારી-શિલ્પો
  • રાણકી વાવનું બાંધકામ ઇસ 1022 થી 1062-63 સુધી ચાલ્યું હોવાનો ઉલ્લેખ છે. કાળક્રમે વાવ દટાઈ ગઈ હતી અને ભૂલાઈ ગઈ હતી.
  • 1968માં ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ (આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ) દ્વારા પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કઢાઈ.
  • રાણકી વાવ અમદાવાદથી રોડ માર્ગે આશરે 140 કિમી દૂર (આશરે બે-અઢી કલાક)
  • અમદાવાદ-મહેસાણા 75 કિમી. પાટણ-મહેસાણા આશરે 65 કિમી.
  • અમદાવાદથી મહેસાણા થઈ પાટણ જવું (અમદાવાદ-પાલનપુર હાઇવે પર)
  • ભારે વરસાદ/સખત ઉનાળામાં વાવની મુલાકાત ટાળવી. વિન્ટર સિઝન શ્રેષ્ઠ
  • વાવ જોવાનો સમય: સવારે આઠ પછી. સાંજે પાંચ/ છ વાગ્યા સુધી
  • મોટર માર્ગે જવું સારું. અમદાવાદ/ મહેસાણાથી સ્ટેટ ટ્રાંસપોર્ટ બસ સર્વિસ સારી
  • પોતાના ફોર-વ્હીલરમાં જવું સલાહભર્યું. રસ્તા સરસ
  • પોતાના નાસ્તા-પાણી લઈ જવું ઇચ્છનીય. બેઠકો-બાંકડા સાથે વિશાળ બગીચો.
  • સવારે વહેલા રાણકી વાવ વિઝિટ કરી પછી મોઢેરા સૂર્યમંદિર/બહુચરાજી જઈ શકાય
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular