ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને સંસ્થાઓએ સાથે મળીને અમદાવાદ શહેરમાં ગુજરાત યુનિવર્સિટીના જી.એમ.ડી.સી. પાસેના મેદાનમાં નવરાત્રિ મહોત્સવ-2022નું આયોજન કર્યું છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમના સાથી મંત્રીઓ 26 સપ્ટેમ્બર, સોમવારે નવરાત્રી તહેવારના પ્રથમ દિવસે ‘નવરાત્રિ 2022’નું ઉદઘાટન કરે એ પૂર્વે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.નવરાત્રીના થીમ સાથે ગુજરાત ટુરિઝમ દ્વારા નડાબેટ થીમ સહિત જુદા જુદા આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં મુલતવી રહેલા મોટા મહોત્સવ આ વર્ષે ભવ્યતાથી ઉજવવાનો સરકાર અને સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે.