Wednesday, June 18, 2025
Google search engine
HomeFeaturesNational Affairsઅયોધ્યા-કશ્મીરઃ હિન્દુ રાષ્ટ્રવાદીઓ માટે બે જીત?

અયોધ્યા-કશ્મીરઃ હિન્દુ રાષ્ટ્રવાદીઓ માટે બે જીત?

વડ પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુસ્લિમ બહુમતી પ્રદેશ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યાના ઠીક એક વર્ષ પછી અયોધ્યામાં રામ ભૂમિપૂજન કાર્યક્રમમાં રામ મંદિરના નિર્માણના પાયામાં ઈંટ મૂકી હતી- જે હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર માટે બેવડી જીત હતી. તેમના આલોચકો તેમણે 20 કરોડ મુસલમાનોની કિંમતે દેશને હિન્દુ રાષ્ટ્રના રૂપમાં યાદ કરીને જોઈ રહ્યા છે અને એને સત્તાવાદી દિશામાં પગ માંડતાં જોઈ રહ્યા છે. ભારતના સૌથી પરિવર્તનકારી નેતા

મોદી નિશ્ચિતરૂપે હાલની સ્મૃતિમાં ભારતના સૌથી પરિવર્તનકારી નેતા રહ્યા છે, એમ વિલ્સન સેન્ટરના માઇકલ કુગલમેને જણાવ્યું હતું. આ બે ઘટનાઓએ તેમને બહુ લોકપ્રિય કરી દીધા છે, પણ બંને ઘટનાઓ વિવાદસ્પદ અને વિભાજનકારી પણ છે.

અયોધ્યા કેટલીક જોખમકારક હિંસાનો પલીતો

ઉત્તર ભારતના પવિત્ર શહેર અયોધ્યા લાંબા સમયથી ભારતના ધાર્મિક વિભાજનોમાં એક દોષપૂર્ણ રેખા રહી છે અને કેટલીક જોખમકારક હિંસાનો પલીતો રહ્યું છે. શ્રદ્ધાળુ હિન્દુઓનું માનવું છે કે ભગવાન રામ, યોદ્ધા ભગવાન- આશરે 7000 વર્ષ પહેલાં જન્મ્યા હતા, પણ 16મી સદીમાં તેમના જન્મસ્થાનની ઉપર એક મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એના લીધે ધાર્મિક તોફાનોને થયાં હતા, જેમાં 2000 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટા ભાગના મુસ્લિમો હતા.

નવેમ્બરમાં ભાજપની એક મોટી જીત થઈ

એક લાંબી કાનૂની લડાઈ ચાલી, પણ નવેમ્બરમાં ભાજપની એક મોટી જીત થઈ હતી. દેશની સુપ્રીમ કોર્ટે હિન્દુઓને વિવાદિત ભૂમિથી સન્માનિત કર્યા હતા, જેનાથી એક મંદિર આકાશને આંબે એવું બનાવવામાં આવશે. આ (મોદી)ની એક મોટી ઉપલબ્ધિ છે. તેઓ આ મંદિરના જોરે સંપૂર્ણ રીતે ઇતિહાસમાં સ્થાયી રીતે પોતાનું સ્થાન બનાવ્યું છે, એમ બાયોગ્રાફર નિલાંજન મુખોપાધ્યાયે જણાવ્યું હતું. આ ઉપરાંત ચેમણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1947થી વિભાજિત થયેલા કાશ્મીરમાંથી 370ની કલમને દૂર કરીને એને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો હતો. કાશ્મીર માટે હંમેશાં બંને દેશો વચ્ચે યુદ્ધનો મુદ્દો અને અનેક લોકોનું લોહી વહ્યું છે.

એક ઐતિહાસિક ભૂલ

ભાજપે હંમેશાં લાંબા સમયથી ભારત દ્વારા નિયંત્રિત કાશ્મીરને એક ઐતિહાસિક ભૂલ સ્વરૂપે જોયું છે અને પાછલા વર્ષે પાંચ ઓગસ્ટે મોદીને એને સમાપ્ત કરી દીધું હતું.

અયોધ્યામાં ચાંપતી સુરક્ષા-વ્યવસ્થા

એકસાથે સુરક્ષા અભિયાને આ ક્ષેત્રને છેલ્લાં કેટલાંકક સપ્તાહોથી કિલ્લામાં તબદિલ કરી દીધું હતું, જેમાં બધા ટેલિકોમ્યુનિકેશન્સ પર કાપ મૂક્યો હતો અને હજારોની અટકાયતમાં કરવામાં આવી હતી.

કાશ્મીરની બહાર લોકોને પહેલી વાર ડોમિસાઇલ હકો

હવે કાશ્મીરની બહાર લોકોને પહેલી વાર ડોમિસાઇલ હકો આપવામાં આવી રહ્યા છે, જેનાથી તેમને જમીન ખરીદવાનો અને સરકારી નોકરીઓનો દાવો કરવાનો અધિકાર મળી ગયો છે. એનાથી એ ડર પેદા થયો કે મોદી મુસ્લિમ બહુમતી કાશ્મીરની જનસંખ્યાને અને ધાર્મિકતા મુદ્દે વેસ્ટ બેન્કમાં ઇઝરાયલનાં કાર્યોની જેમ બદલવા ઇચ્છે છે.

મોદીના આલોચકો ચિંતિત

અન્ય કાર્યો એ પણ મોદીના આલોચકોને ચિંતિત કરી દીધા છે અને તેમના પ્રશંસકોને ખુશ કરી દીધા છે. ગયા વર્ષે CAAના નવા કાયદાએ ત્રણ પડોશી દેશોના લાખો ગેરકાયદે પ્રવાસીઓને માટે નાગરિકતા પ્રાપ્ત કરવાનું સરળ બનાવી દીધું છે, પણ આમાં અન્ય દેશોના મુસ્લિમોનો સમાવેશ થતો નથી.

હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડા

હજી વધુ કાર્યો પાઇપલાઇનમાં છે, જેમાં ભાજપના એજન્ડામાં એકસમાન નાગરિક ધારો છે, જેમાં લગ્ન, પરિવાર અને મૃત્યુ જેવાં ક્ષેત્રોમાં ધાર્મિક અલ્પસંખ્યકો માટે વ્યક્તિગત કાનૂનોની સાથે-સાથે મુખ્ય રૂપે મુસલમાનો માટે બનાવવામાં આવેલી નીતિ છે. સ્પષ્ટરૂપે એ હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાની નીતિથી આગળ વધી રહ્યા છે, એમ કુગેલમેને કહ્યું હતું.

સરકારને માલૂમ છે કે અર્થતંત્ર અને રોગચાળાની સાથે મોટા પડકારો છે, છતાં સામાજિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરાવીને એ અન્ય મુદ્દાઓને દૂર કરાવી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular