Thursday, June 26, 2025
Google search engine
HomeFeaturesKahevatમા ના સ્વમુખેથીઃ કાણાને કાણો ન કીજીયે...

મા ના સ્વમુખેથીઃ કાણાને કાણો ન કીજીયે…

 

કાણાને કાણો ન કીજીયે, માઠાં લાગે વેણ ધીરે રહીને પૂછીએઃ ભાઈ, શીદને ગયાં તમારાં નેણ ?

 

કોઈ પણ વ્યક્તિ દિવ્યાંગ હોય તો એની શારીરિક ત્રુટિ કે ખોડખાંપણને લઈને ક્યારેય મજાક કે ટીકા કરવી નહીં. એનાથી આ વ્યક્તિને ખૂબ દુઃખ પહોંચે છે. પૂછવું જ હોય તો સહાનુભૂતિપૂર્વક સારી ભાષામાં એની આ શારીરિક ક્ષતિનું કારણ પૂછી શકાય.

આ કથા તો તમને યાદ જ હશે. રાવણે નંદીને કૂબડો કહીને મશ્કરી કરી હતી. નંદીએ શ્રાપ આપ્યો કે તારૂં મોત મારા જેવા કૂબડા પશુઓને કારણે થશે. વાંદરાં અને રીંછ રામના સૈનિકો બન્યાં. સેતુ બંધાયો. રાવણ હણાયો.

સાર એ જ કે, શારિરીક ખોડખાંપણ ધરાવતા લોકો સાથે પણ સહાનુભૂતિપૂર્વક વાત કરીને એમની આ ત્રુટી વિશે પૂછવું.

(જયનારાયણ વ્યાસ) 

(જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવશે.) 


 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular