Sunday, October 19, 2025
Google search engine
HomeFeaturesKahevatવાવો તેવું લણો...

વાવો તેવું લણો…

 

વાવો તેવું લણો…

 

 

કબીરજીએ વર્ણવેલી કાવ્ય પંક્તિ છે: “કરતા થા સો ક્યોં કિયા, અબ કર ક્યોં પછિતાય । બોયા પેડ બબૂલ કા, આમ કહાઁ સે ખાય ।।”

એટલે બાવળીયો ઉછેર્યો હોય અને પછી એના છાંયડે બેઠા બેઠા આને કેરી આવે એવું ઈચ્છો તો પણ એ શક્ય બનતું નથી. કુદરતનો નિયમ છે – જે બિયારણ વાવ્યું હશે તે જ આગળ જતાં ફળરૂપે તમને પાછું મળશે. એટલે કે જેવાં કર્મ કર્યા હશે તેવો જ બદલો મળશે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular