Friday, June 27, 2025
Google search engine
HomeFeaturesKahevatધરતીનો છેડો ઘર

ધરતીનો છેડો ઘર

         ધરતીનો છેડો ઘર

 

રોટી, કપડાં અને મકાન માણસની મૂળભૂત જરૂરિયાત છે. આ બધામાં પણ માથે છાપરું એટલે કે ઘર એવી જગ્યા છે જ્યાં માણસ થાક્યો-તરસ્યો આખા દિવસના પરિશ્રમ પછી પાછો આવે છે અને પોતાના કુટુંબ સાથે કિલકિલાટ કરતાં સ્વર્ગનો આનંદ અનુભવે છે.

સુખી કુટુંબ હોય ત્યારે ત્રણેય ભુવનના વૈભવ કરતાં પોતાના ઘરમાં પ્રાપ્ત થતો આનંદ અમૂલ્ય હોય છે. આમ આખી દુનિયા ખૂંદીને પણ છેલ્લે માણસ જ્યારે પોતાના ઘરે પાછો ફરે છે ત્યારે એને હાશકારો થાય છે. પોતાની મંઝીલે પહોંચવાનો જે સંતોષ છે એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular