Saturday, June 7, 2025
Google search engine
HomeFeaturesKahevatઅન્ન એવો ઓડકાર

અન્ન એવો ઓડકાર

         

        અન્ન એવો ઓડકાર

 

આપણે જેવો ખોરાક ખાઇએ તે પ્રમાણે જ ઓડકાર આવે ત્યારે તેમાં તેનો સ્વાદ આવે. જો કડવી દવા પીધી હોય અને ઓડકાર આવે તો મોં કડવું થઈ જાય એવો આવે. વધારે પડતું તીખું ખાધું હોય અને તેમાં પણ એ ખાવાનું બનાવવામાં વધારે પડતું તેલ વપરાયું હોય તો એના ઓડકારથી ગળું બળી જાય.

આથી ઊલટું સરસ મજાનો દૂધપાક ખાધો હોય તો એની સંતુષ્ટિનો ઓડકાર પણ મીઠો હોય. આમ જેવો ખોરાક લઈએ તેવા વાણી વર્તન થાય અથવા જેવુ કાર્ય કરીએ એવું તેનું પરિણામ આવે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular