Thursday, May 15, 2025
Google search engine
HomeFeaturesKahevatદરજી કદ પ્રમાણે વેતરે

દરજી કદ પ્રમાણે વેતરે

   

    દરજી કદ પ્રમાણે વેતરે

 

મૂળભૂત રીતે આ કહેવત પ્રમાણભાન સાથે જોડાયેલી છે. દરજીને ત્યાં કપડું સીવવા આપીએ તો જે પ્રમાણે માણસનું માપ હોય તે પ્રમાણે એ કપડું વેતરીને એમાંથી ખમીસ, પાટલૂન અથવા જે કાંઇ સીવવાનું હોય તે સીવે. એટલે દરજી માપ પ્રમાણે જ કપડું વેતરે એટલે કે કાપે તો જ ફીટીંગ વગેરે બરાબર આવે અને એ કપડું પહેરનારના અંગ પર શોભી ઊઠે.

આમ, જો પ્રમાણભાન જળવાય જળવાય તો જ જે હેતુ લઈને આપણે નીકળ્યા હોઈએ તે હેતુ બર આવે. પ્રમાણભાન ન જળવાય તો કપડું ગમે તેટલું મોંઘું હોય કાં તો ટૂંકું પડે અથવા ખૂલતું રહે. સરવાળે પહેરનારને દીપાવે નહીં અને કપડું પણ બગડે, સીવનારનો હાથ પણ લજવાય. કોઈ પણ વસ્તુની રચના માટે આ પાયાનો સિદ્ધાંત છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular