Sunday, June 29, 2025
Google search engine
HomeFeaturesKahevatથૂંકનો સાંધો કર્યે કેટલા દિવસ ટકાય

થૂંકનો સાંધો કર્યે કેટલા દિવસ ટકાય

થૂંકનો સાંધો કર્યે કેટલા દિવસ ટકાય

 

થૂંકનો સાંધો કરવો એટલે કે થૂંક લગાવીને કોઈ વસ્તુને સાંધવી એવો અર્થ થાય. થૂંક લગાવ્યે કોઈ વસ્તુ સંધાય એ વાત અશક્ય છે. અને સંધાય તો પણ એ સાંધો બહુ ટકાઉ નથી હોતો.

ક્યારેક આવો પ્રયોગ આપણે ગુંદરપટ્ટીને થૂંકથી ભીની કરીને ચોટાડવામાં કરીએ છીએ. પણ એ સાંધો સ્વાભાવિક રીતે જ ટકાઉ નથી હોતો. આમ કોઈ બિનટકાઉ અથવા વેત વગરની કામગીરી માટે આ કહેવતનો પ્રયોગ થાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular