Saturday, June 14, 2025
Google search engine
HomeFeaturesKahevatએ ભૂખ્યા ઉઠાડે છે, સુવાડતો નથી

એ ભૂખ્યા ઉઠાડે છે, સુવાડતો નથી

એ ભૂખ્યા ઉઠાડે છે, સુવાડતો નથી

 

આપણે સવારે ઊઠીને કામે લાગીએ છીએ તે છેક રાત સુધી કામ કરીએ છીએ. રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે બધું જ ભૂલી જઈએ છીએ. સવારે નીંદરમાંથી આંખ ખૂલે ત્યારે આપણે સાવ ભૂખ્યા હોઈએ છીએ. આમ, કુદરતની એક પ્રક્રિયાના ભાગરૂપે આપણે સવારે ભૂખ્યા ઊઠીએ છીએ.

આપણાં જીવનનું સંચાલન પરમાત્મા કરે છે. એટલે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે એવું લખ્યું છે. પણ દિવસને અંતે આપણે કંઈકને કંઈક પ્રાપ્ત કરીએ છીએ એ પણ ઈશ્વરનો પ્રસાદ છે. એટલે ઈશ્વર ભૂખ્યા સુવાડતો નથી એ રીતનો શબ્દપ્રયોગ કર્યો છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular