Sunday, June 29, 2025
Google search engine
HomeFeaturesKahevatહાથમાંથી કોઈ લઈ જશે, નસીબમાંથી કોઈ નહીં લઈ જાય

હાથમાંથી કોઈ લઈ જશે, નસીબમાંથી કોઈ નહીં લઈ જાય

હાથમાંથી કોઈ લઈ જશે, નસીબમાંથી કોઈ નહીં લઈ જાય

 

એવી માન્યતા છે કે દરેક માણસ પોતાનું નસીબ લઈને આવે છે. સંસ્કૃતમાં કહ્યું છે કે:

भाग्यं फ़लति सर्वत्र न विद्या न च पौरुषम् ।

भाग्य हि फ़ल देता है, विद्या या पौरुष नहीं ।

ભાગ્ય પ્રમાણે ફળ મળે છે. માણસ ગમે એટલો ઉદ્યમી કે બુદ્ધિશાળી હોય તો તેનાથી કાંઈ ફરક પડતો નથી.

જોકે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે એટલે પુરુષાર્થ તો કરવો જ પડે, પુરુષાર્થ માટે પણ કહેવાયું છે કે

उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।

न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥

આપણે દૈવ એટલે કે નસીબમાં માનવાવાળી પ્રજા છીએ જેનો પડઘો આ કહેવતમાં પડે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular