Saturday, June 14, 2025
Google search engine
HomeFeaturesKahevatબે ઘરનો પરોણો ભૂખે મરે

બે ઘરનો પરોણો ભૂખે મરે

 

         બે ઘરનો પરોણો ભૂખે મરે

 

માણસ કોઈના પણ ત્યાં મહેમાન બનીને જાય ત્યારે જ સ્વાભાવિક રીતે જ એના ભોજન વિગેરેની વ્યવસ્થા યજમાનને ત્યાં જ હોય છે. હવે કોઈના ગામમાં એ એક કરતાં વધારે ઘરનો મહેમાન બને અને એની મહેમાનગતી કોને કરવાની છે તે નક્કી ના હોય ત્યારે ઘણી વાર બંને યજમાનો એક બીજાના વિશ્વાસે રહે અને સરવાળે પેલો યજમાન ભૂખ્યો રહે.

આમ સ્પષ્ટતા ના હોય ત્યારે એક કરતાં વધુ વિકલ્પો ખુલ્લા રાખવામાં નુકસાની વેઠવાનો સમય આવે એ હકીકત આ કહેવત પરથી સમજવાની જરૂર છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular