Monday, May 19, 2025
Google search engine
HomeFeaturesKahevatપાકા ઝાડને છાંયડે ભૂખે મરે

પાકા ઝાડને છાંયડે ભૂખે મરે

 

 

પાકા ઝાડને છાંયડે ભૂખે મરે

 

અત્યંત ભલા અથવા સરળ સ્વભાવની વ્યક્તિ માટે આ કહેવત વપરાય છે. પાકા ફળોથી લચી પડેલ ઝાડને છાંયડે આરામ કરવા બેઠેલ આ માણસ એટલો સરળ અને ભલો છે કે એ પોતાના હક વગરનું કાંઇ પણ લેવા માંગતો નથી.

જેના ઉપર એનો અધિકાર નથી એવાં ફળ કકડીને ભૂખ લાગી હોય તો પણ ન ખાય એવા સજ્જન માણસ માટે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular