Thursday, May 15, 2025
Google search engine
HomeFeaturesCooking Tipsમેથી દાણાનું શાક

મેથી દાણાનું શાક

પલાળેલા મેથી દાણાનું શાક સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોય છે. મેથીને પલાળી હોવાથી તેમાં કડવાશ નથી લાગતી, પણ તેમાં પૌષ્ટિકતા વધી જાય છે.

સામગ્રીઃ

  • મેથી દાણા ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • ટામેટાં 2-3
  • કાંદા 2
  • આદુ-લસણ-મરચાં અધકચરા વાટેલાં 2 ટે.સ્પૂન
  • સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • તેલ ટે.સ્પૂન

રીતઃ મેથી દાણાને 2 પાણીએથી ધોઈ લીધા બાદ પાણીમાં આખી રાત માટે પલાળી રાખવા. અથવા 6-7 કલાક માટે પણ પલાળી શકાય છે.

મેથી દાણા પલળી જાય એટલે તેમાંથી પાણી નિતારી લેવું.

એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂનો વઘાર કરો. ત્યારબાદ તેમાં અધકચરા વાટેલાં આદુ-મરચાં-લસણ નાખીને જરા સાંતળી લીધા બાદ કાંદા સમારીને નાખો. 2 મિનિટ બાદ ટામેટાંને સમારીને તેમાં નાખો. 4-5 મિનિટ બાદ તેમાં મરચાં, હળદર તેમજ ધાણાજીરૂ પાઉડર ઉમેરીને 5 મિનિટ થવા દો. તેલ છૂટું પડે એટલે પલાળેલા મેથી દાણા તેમાં મિક્સ કરીને 2 મિનિટ જેવું સાંતળીને 1 ગ્લાસ જેટલું પાણી મેળવીને કઢાઈ ઢાંકીને ગેસની મધ્યમ આંચે શાક ચઢવા દો. મેથી દાણા પલાળેલા હોવાથી 4-5 મિનિટમાં ચઢી જશે. તે છતાં તપાસી જુઓ. શાક ન તૈયાર થયું હોય તો ફરીથી 2-3 મિનિટ થવા દો. ત્યારબાદ સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને શાક ઉતારી લો.

આ શાક ગરમાગરમ ફુલકા રોટલી સાથે ઘણું જ સારું લાગે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular