Saturday, June 7, 2025
Google search engine
HomeFeaturesBehind The Lensશું તમને ખબર છે કે સિંહની વસ્તી ગણતરી કેવી રીતે થાય છે?

શું તમને ખબર છે કે સિંહની વસ્તી ગણતરી કેવી રીતે થાય છે?

માણસોની વસ્તી ગણતરી જેમ જંગલમાં દર 5 વર્ષે સિંહ, દિપડા, હરણ વગેરે દરેક પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવે છે. સિંહની વસ્તી ગણતરી એ “સિંહ વસ્તી અંદાજ” તરીકે ઓળખાય છે. વન વિભાગના કર્મચારી, અધિકારીઓની સાથે-સાથે વન્યપ્રાણી વિશેષજ્ઞ, વન્યપ્રાણી ફોટોગ્રાફર તથા અનેક NGO ના પ્રતિનિધિ પણ આ સિંહ વસ્તી ગણતરીમાં જોડાય છે.

સિંહ વસ્તી ગણતરીની માટે અભ્યારણ્ય, નેશનલ પાર્ક અને જંગલ આસપાસના વિસ્તારો માટે વિવિધ વિસ્તારના ભાગ કરવામાં આવે છે. સિંહ વસ્તી અંદાજ માટે જંગલના અલગ અલગ વિસ્તારમાં કેમેરા ટ્રેપ લગાવવામાં આવે છે. 2-3 દિવસ માટે વનકર્મચારી, ફોટોગ્રાફર, NGO વગેરેના વોલેન્ટીયરની અલગ અલગ ટીમ બનાવીને તેમને વિસ્તાર ફાળવવામાં આવે છે. આ લોકો ચાલીને સિંહના અવલોકન નોંધે છે. કેટલીક જગ્યાએ પાણીના પોઈન્ટ પાસે માંચડા પર બેસીને પણ સિંહની નોંધ કરવામાં આવે છે.

દરેક સભ્યને સિંહના શેપના સ્કેચ આપવામાં આવે છે. સિંહના શરીર પરના નિશાન આ ટીમ નોંધે છે. સિંહના શરીના અલગ અલગ બાજુથી ફોટો પાડવામાં આવે અને GPS ટ્રેકરથી GPS લોકેશન પણ નોંધવામાં આવે છે. આ રીતે સતત અવલોકન લીધા પછી આ ટીમ આવા અવલોકન સેન્ટ્રલ પ્રોસેસિંગ માટે જમા કરાવે છે.

આવી અનેક ટીમ દ્વારા આપેલ ડેટાને તથા કેમેરા ટ્રેપના ડેટા અને સ્વયંસેવકો એ આપેલ સિંહના શરીરના નિશાન દર્શાવતા કાગળોને GPS લોકેશન ડેટાને પ્રોસેસ કરી દરેક સિંહને અલગ તારવવામાં આવે છે. આ આંકડાને બાદમાં સરકાર પ્રસિદ્ધ કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular