Friday, June 6, 2025
Google search engine
HomeFeaturesBehind The Lensપેસેજ માઈગ્રન્ટ પ્રવાસી પક્ષીઓનું નવું આશ્રય સ્થાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન...

પેસેજ માઈગ્રન્ટ પ્રવાસી પક્ષીઓનું નવું આશ્રય સ્થાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન…

(સિરકીર મલકોહા- કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર)

ઉનાળા અને ચોમાસાની ઋતુમાં અનેક પ્રવાસી પક્ષીઓ એશિયા અને યુરોપથી આફ્રિકા માઈગ્રેશન કરે છે. આ ઉપરાંત ભારતીય ઉપખંડમાં પણ અનેક પ્રવાસી પક્ષીઓ વિવિધ જરૂરીયાતો માટે પ્રવાસ કરે છે.

ગુજરાતમાં કચ્છતો એક આશ્રય સ્થાન હતું જ પણ, હવે કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવા પેસેજ માઈગ્રન્ટ પ્રવાસી પક્ષીઓ માટે ટુંકા રોકાણ માટેનું આશ્રય સ્થાન બન્યું છે.

યુરોપીયન નાઈટ જાર, લોંગ ઈઅર આઉલ, સાયક્સ નાઈટજાર, સલ્ફર-બેલીડ વોર્બલર થી માંડી ઈન્ડિયન પીતા, ઈન્ડિયન પેરેડાઈઝ ફ્લાઈકેચર, સરકીર માલકોહા જેવા અનેક પક્ષીઓ જેના કયારેય વેળાવદર આસપાસ રેકોર્ડ નહતા તે આજકાલ જોવા મળી રહ્યા છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આસપાસ ઉનાળા અને ચોમાસાની ઋતુમાં થોડી મહેનત થી આ પક્ષીઓ જોવા મળી જાય છે.

આમ હાઈના અને વુલ્ફ માટે જાણીતું કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન આજકાલ પક્ષી પ્રેમીઓને પણ આકર્ષી રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular