Saturday, July 5, 2025
Google search engine
HomeAstrologyGRAH & VASTUવાસ્તુ: ઈશાનમાં રહેતી વ્યક્તિની જીદ સમગ્ર પરિવારને તકલીફ આપે

વાસ્તુ: ઈશાનમાં રહેતી વ્યક્તિની જીદ સમગ્ર પરિવારને તકલીફ આપે

સાહેબ, મારું ગયું વર્ષ અને આ વર્ષ બંને સરખા ન જાય તો સારું. તમને લખું છુ ત્યારે મારાએમને ન ગમ્યું એટલે મારા પતિએ પૂછ્યું તો મેં જણાવ્યું કે તમે કેટલા જ્ઞાની છો અને તમને કેટલા બધા એવોર્ડ મળ્યા છે. તો મને કે કે,” એવોર્ડને શું બટકા ભરવાના છે?” આવા સ્વભાવ વાળા માણસ સાથે કેમ રે’વાય? જોકે મારોય વાંક છે. હું બહુ જલ્દી લોકો પર વિશ્વાસ કરી દઉં છુ. મારા દીકરાને વાયફાય માટે ફાયબર કોઈક કંપનીનો લેવો હતો. ને મેં મોટું નામ જાણીને પૂછ્યા વિના પૈસા ભરી દીધા. હવે સ્પીડ નથી આવતી એટલે બાપ દીકરો મારી સાથે બોલતા નથી. મંદિરમાં અભિષેકના પૈસા આપવાની મારા પતિએ નાપાડી. તોય મેં સાડા ત્રણ હજારની પાવતી ફડાવી અને પછી મહારાજે અષ્ટમપષ્ટમ વિધિ કરાવી એ માય ચાલુ પૂજાએ મહારાજને ફોનમાં કોઈની સાથે ઝગડો થઇ ગયો. મારા પતિને બધા શ્લોક આવડે છે. તો મારા પર ખીજાયા. કે શિવ મંદિરમાં પુજાના પૈસા થોડા હોય? અને સાવ આવી પૂજા? હું ધાર્મિક છુ એટલે આવું થઇ જાય. પણ એ વાત કોઈ સમજતું નથી. બે દિવસ પહેલા એક ભાઈ ઘરમાં ઉભા હતા. મેં એમને પાણી આપ્યું અને મારા પતિને બોલાવવા ગઈ ત્યારે  એ ઘરમાંથીવસ્તુ ઉપાડતા હતા. મારો દીકરો આવી ગયો એટલે ખબર પડી કે એ ચોર હતો. મારા પતિએ જીંદગીમાં પહેલી વાર મને ખખડાવી.આવું કેમ થાય છે? કોઈ ઉપાય ખરો? વાસ્તુશાસ્ત્ર મને મદદ કરે ખરું?

વરંપર્વતદુર્ગેશુ ભ્રાનતમ વનચરેઈ: સહ. ન મુર્ખ જન્સંપર્ક: સુરેન્દ્ર ભવન્નનેષ્વપિ.

હિશક પશુઓ સાથે જંગલ કે પહાડો પર વિચરણ કરવું ઘણું સારું છે પરંતુ મુર્ખ માણસ સાથે સ્વર્ગમાં રહેવું પણ યોગ્ય નથી.

બહેન, આપનો જન્મ ખોટી સદીમાં થયો હોય તેવું આપને લાગે છે. આપને ચોરમાં પણ મહેમાન દેખાય છે. ભોળા હોવું એ ખુબજ સારું છે પણ મુર્ખ તો નહિજ. આજના જમાનામા ભોળા માણસોને મુર્ખમાં ખપાવી દેવામાં આવે છે. વળી વધારે પડતું ભોળપણ પણ સારું નહિ. કેટલા સાબુ લોકોને ગોરા બનાવી શકે છે? કેટલા ક્રીમ લગાવવાથી નોકરી મળે જાય છે? કોઈ માં પોતાના દીકરાને અલગ રહેવા પ્રોત્સાહિત કરે ખરી? આવા સવાલો પૂછ્યા વિના આપણે વિજ્ઞાપનો પર વિશ્વાસ કરી લઈએ છીએ. માત્ર નામ મોટું હોય એ જરૂરી નથી.વળી ઘરમાં કોઈને પૂછ્યા વિના સમગ્ર પરિવારને અસર કરે તેવોનિર્ણય વિચાર્યા વિના ન લેવાય ને? તમે તમારા પરિવારનો વિશ્વાસ ખોઈ બેઠા છો. આધ્યાત્મિક હોવું જરૂરી છે માત્ર ધાર્મિક નહિ. તમે અંધશ્રદ્ધા તરફ જઈ રહ્યા છો. ઈશ્વરની બાબતમાં કદાચ આપના પતિના વિચારો વધારે યોગ્ય છે. મહેમાન એ ભગવાન છે. પણ સાવ અજાણ્યો માણસ ઘરમાં દેખાય અને તમે પાણી આપીને બેસાડો તો કોઈને પણ ગુસ્સો આવે. અને જયારે એ ચોર હોય ત્યારે તો ખાસ. તમારે આજના યુગને સમજીને નિર્ણય લેવા જરૂરી છે. તમે સારા છો.ક્યારેક આંધળો વિશ્વાસ તકલીફ આપી શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા થોડું વિચારો. જરૂર પડેતો આપના પતિ અથવા પુત્રની સાથે ચર્ચા કરીને નિર્ણય લો. પણ હા, ચર્ચા ઉગ્ર ન હોય તે ખુબજ જરૂરી છે. બે વ્યક્તિઓ એક સાથે સાચી હોઈ શકે. બંનેની વિચારવાની દિશા અલગ હોય તેવું બને.

તમારા ઘરમાં ઈશાનની બંને બાજુની દિશાઓથી બનતો ત્રિકોણ નકારાત્મક છે. તમે ઈશાનમાં સુવો છો અને વાયવ્યમાં તમારા ઘરનું દ્વાર છે. વળી બ્રહ્મમાં તમે પાણી ભરી અને તેમાં લીલી વાવ્યા છે. આના કારણે તમને એવું લગે છે કે તમને કોઈ સમજી શકતું નથી. પણ તમે અન્યને સમજવા પ્રયત્ન કરો છો ખરા? તમારો સ્વભાવ જીદ્દી છે તેનું પણ આજ કારણ છે. ઈશાનમાં રહેતી વ્યક્તિની જીદ સમગ્ર પરિવારને તકલીફ આપે. અહી એવુજ જોવા મળી રહ્યું છે. અગ્નિનો દોષ ચોરી કરાવી શકે. તમારા ઘરમાં ચોરી થતી રહી ગઈ છે. પણ સજાગતો રહેવુજ જોઈએ. ચોરની આગતાસ્વાગતા ન કરાય. સર્વ પ્રથમતો બ્રહ્મમાંથી પાણી કાઢી અને એક સરખું લેવલ કરી દો. અગ્નિમાં બે ચંદનના છોડ વાવી દો. મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવી અને વેદોક્ત રીતે ઉંબરો પૂજી લો. તમે યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો. અને નૈરુત્ય તરફના બેડરૂમમાં સુવાનું રાખો. તમારા ઘરનું વાતાવરણ ચોક્કસ સારું થશે અને એકબીજા માટેની સમજણ વધશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular