Wednesday, May 14, 2025
Google search engine
HomeAstrologyGRAH & VASTUમંગળનું રાશિ પરિવર્તન: રાશિ મુજબ કરો આ ઉપાય

મંગળનું રાશિ પરિવર્તન: રાશિ મુજબ કરો આ ઉપાય

ભૂમિ પુત્ર મંગળ. રક્ત વર્ણ પુરુષ જાતિનો ગ્રહ. મંગળ પરાક્રમનો કારક ગ્રહ ગણાય. વળી સુર્ય મંડળમાં તેનું સ્થાન ચોથું છે. ૮ ફેબ્રુઆરીથી આ ગ્રહ ગુરુની રાશિ ધનરાશિમાં ૪૩ દિવસ માટે પરિભ્રમણ કરશે. ગુરુ એ ગુરુતાનો ગ્રહ. જ્ઞાનનો ગ્રહ. ગુમાનનો ગ્રહ. મંગળ જોમ, આવેગ, જુસ્સા અને ગુસ્સાનો ગ્રહ. ધન રાશિમાં મંગળ આવવાથી લોકોની ભ્રમણાઓ ઓછી થાય. અંતર સુજ વધે. શેરબજારને સારાસારા સમાચાર મળે. લોકોની આત્મ શ્રદ્ધા વધે. જેનો પ્રભાવ તેમના વિચારો પર આવે. જો કે અમુક લોકોને તામસીપણું પણ વધે. કારણ વિના ઉગ્રતા થતી જોવા મળે. જેમનો તામસી સ્વભાવ હોય તેમને શાંતિથી સમય પસાર કરવાની સલાહ છે. વિનાકારણ મનમાં બેચેની રહે. હૃદયને તક્લીફ આપે તેવી ઘટનાઓ બનવાથી લાગણીશીલ માણસોને તકલીફ વધે. અચાનક કોઈ ઘટના બની શકે.

વાતાવરણ બદલાયા કરે. વિશ્વાસે ન ચાલવાની સલાહ છે. કોઈ પણ સહી કરતા પહેલા કાગળોનો અભ્યાસ કરવો જરૂરી છે. પૂર્વાર્ધમાં કોઈ સારા સમાચાર આવી શકે. હવે દરેક રાશિને શું કરવાથી લાભ થાય તે પણ સમજીએ.

 

  • મેષ: વડીલોને સન્માન આપવું. કોઈનું મન ન દુભાવવું. ગણેશજી ને ગોળ ધરાવી પ્રસાદ લઇ લેવો.
  • વૃષભ: સવારે વહેલા ઉઠવું. સૂર્યને જળ ચડાવવું. ગુરુ વારે પીળી રાંધેલી વસ્તુનું દાન કરવું.
  • મિથુન: અંગત વ્યક્તિથી વાત છુપાવવી નહિ. પુરતી ઊંઘ લેવી. સવારે મધ લેવું.
  • કર્ક: શિવલિંગ પર યોગ્ય રીતે અભિષેક કરવો. વધારે પાણી પીવું.
  • સિંહ: ગુરુવારે દત્ત બાવની નો પાઠ કરવો. રક્ત વર્ણ ગણેશજીને ગોળ ધરાવી પ્રસાદ લઇ લેવો.
  • કન્યા; ગોળના લાડવા નાના બાળકોને આપવા. શિવ પૂજા કરવી. કુંવારી કન્યાને ભેટ આપવી.
  • તુલા: શિવલિંગ પર દહીંમાં કાળા તલથી અભિષેક કરવો. જ્ઞાની વ્યક્તિને ગમતી વસ્તુ આપવી.
  • વૃશ્ચિક: કોઈ સાફ હૃદયની વ્યક્તિને ગમતી ભેટ આપવી. સત્ય આચરણ કરવું. શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવો.
  • ધન: પરિવારમાં વડીલ સ્ત્રીના આશીર્વાદ લેવા. કોઈનું મન દુભાવવું નહિ. ગણેશજીને ગોળ ધરાવવો.
  • મકર: કોઈનું મન ન દુભાવવું. સૂર્યને જળ ચડાવવું. વડીલોને સન્માન આપવું.
  • કુંભ: ખોટા વિશ્વાસે ન રહેવું. ગણેશજીને કોરા કંકુથી અભિષેક કરી ગોળનો પ્રસાદ ધરાવવો.
  • મીન: ભૂતકાળમાં જેમણે મદદ કરી હોય તેમનો આભાર માનવો. શિવલિંગ પર ઘી અને મધથી અભિષેક કરવો.

 

નોંધ. અભિષેકમાં વધારે દ્રવ્ય વપરાય તો વધારે લાભ થાય તેવું હોતું નથી. દરેકના કર્મના અને ભાવના આધારે ફળ મળે છે. તેથી જે કઈ કાર્ય કરાય તે સારા ભાવથી નિષ્ઠા પૂર્વક કરવું જરૂરી છે. આ દરમિયાન બ્રાહ્મણને તુલસીનો છોડ પણ આપી શકાય. વૃક્ષો પણ વાવી શકાય.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular