Tuesday, June 3, 2025
Google search engine
HomeAstrologyGRAH & VASTUવાસ્તુ: ડ્રોઈંગ રૂમ માટે કઈ દિશા યોગ્ય ગણાય?

વાસ્તુ: ડ્રોઈંગ રૂમ માટે કઈ દિશા યોગ્ય ગણાય?

જીવન અને ફિલ્મમાં ઘણો ફર્ક હોય છે એ વાત સહુ કોઈ જાણે છે તેમ છતાં ફિલ્મી જીવન જીવવું બધાને ગમે છે. ફિલ્મના કલાકારો પણ જાણે છે કે તેમનો રોલ પતે એટલે સામાન્ય જીવન જીવવાનું હોય છે. પણ જીવનની ઝાકઝમાળ એમને એક મુખવટો આપે છે જે સાચો નથી. અને એ મુખવટો જ બધાને ભરમાવે છે. જીવન પરથી વાર્તા બને એ સારું ગણાય પણ વાર્તા જેવું જીવન જીવવામાં ક્યારેક મજા ન આવે. વળી સત્યકથા પરથી બનેલી ફિલ્મોમાં પણ ક્યારેક એવા વણાંકો જોવા મળે છે કે જે માત્ર ફિલ્મી જ હોય. આપણું જીવન એ આપણી પસંદગીનું હોય તો જ મજા આવે. તેથી જ પોતાના ગમતા વિષયનું જીવન જીવવું જોઈએ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મેં એક ફિલ્મ જોઈ જેમાં હીરો કહે છે કે આ ઘર વાસ્તુ આધારિત નથી. આમાં તો ઉત્તર દિશામાં ડ્રોઈંગ રૂમ છે. મેં થોડો ઘણો વાસ્તુનો અભ્યાસ કર્યો છે. એ મુજબ આ જગ્યાએ ડ્રોઈંગ રૂમ હોઈ શકે. આપ તજજ્ઞ છો. આપ જણાવો કે મારું જ્ઞાન સાચું છે કે નહિ? અને જો સાચું હોય તો વાસ્તુ જેવા વિષયના અભ્યાસ વિના માત્ર મજાક માટે ગમે તેવી સ્ક્રીપ્ટ લખવી કેટલી યોગ્ય ગણાય? આપણા શાસ્ત્રો માત્ર મજાક અને મનોરંજન માટે જ છે?

જવાબ: મને ખબર નથી કે તમે કઈ ફિલ્મ જોઈ છે. તેથી એ ફિલ્મ વિષે હું કશું કહી ન શકું. બીજું કે વાસ્તુ શાસ્ત્ર એ મજાક કે મનોરંજન માટે નથી પણ ફિલ્મ માત્ર મનોરંજન માટે હોય છે. ફિલ્મોમાં એવું ઘણું બધુ જોવા મળે છે કે જે આપણી સંસ્કૃતિ મુજબનું નથી હોતું. પણ આપણે એને અવગણવા ટેવાયેલા છીએ. અજ્ઞાન ચાલે પણ અધૂરું જ્ઞાન હાનીકારક જ રહે. જેને જે વિષય નથી સમજાતો તેને તે મજાક ગણીને છોડી દે એ સામાન્ય છે. તેથી આવી બાબત માટે દુખી ન થવાય.

આપનો સવાલ એક એવી દિશા તરફ લઇ જાય છે જે સત્ય તરફ લઇ જાય છે. આપના જેવા લોકોને વાસ્તુના સાચા નિયમો જાણવામાં રસ છે એ સારી બાબત છે. વળી આપણી સંસ્કૃતિ માટેની સજાગતા પણ સરાહનીય છે. પૃથ્વી સૂર્ય તરફ નમેલી છે તેથી ઉત્તર દિશામાં ક્યારેય સૂર્યના સીધા કિરણો આવતા નથી. આ જગ્યા ડ્રોઈંગરૂમ માટે યોગ્ય ગણાય.

ઘણીવાર આપણા લેખકો વિદેશના લેખકોની માફક રીસર્ચ કરીને નથી લખતા. અથવા તો એવું પણ બને કે એમને કોઈએ ખોટી માહિતી આપી હોય. જો વિદેશની બરાબરી કરવી હોય તો પોતાના દેશ અને સંસ્કૃતિને સન્માન આપતા તો શીખવું જ પડશે. જો કે એના માટે સાચી સમજણ પણ જરૂરી છે.

સવાલ: અમે એક સોસાયટીમાં રહીએ છીએ. અમે પણ મેઇન્ટેનન્સ ભરીએ છીએ. તો પણ બીજા મેમ્બર્સ અમને જ્યાં ત્યાં કચરો ન નાખવા સમજાવે છે. અમે અમારી મરજી મુજબ વાહનો મુકીએ એના માટે પણ લડે છે. અમે અમારી સોસાયટીમાં જે રીતે રહીએ. એમાં બીજાને શાની ચૂંક આવે છે. તાકાત હોય તો રસ્તા પર પિચકારી મારવા વાળાને સમજાવવા જોઈએ. એક વાર મારા દીકરાએ લીફ્ટમાં પિચકારી મારી એમાં તો એક માણસે મારી ફરિયાદ કરી દીધી. આવા લોકોને સોસાયટીમાંથી બહાર કાઢવા માટે કોઈ મંત્ર હોય તો આપો ને.

જવાબ: આ દેશ આપણો બધાનો છે. એને આપણે ચાહતા નથી એટલે જ એને ગંદો કરીએ છીએ. તમે એકલા સોસાયટીમાં નથી રહેતા. તમારી જેમ અન્ય પણ મેઈન્ટેનન્સ ભરતા જ હશે. એક બીજાને અનુકુળ થઈને રહેવાથી જ સારું વાતાવરણ સર્જાય. જો દરેક મેમ્બર માત્ર ગંદકી અને ગુંડાગીરી જ કરે તો સોસાયટી ગંદકીનો અખાડો થઇ જશે. કોઈ તમારી સાથે આવું કરે તો તમને નહિ જ ગમે. લીફ્ટ પિચકારી મારવા માટે નથી હોતી. કદાચ તમને ગંદકી ગમતી હોય તો પણ અન્યને ન ગમે એવું ન કરવું જોઈએ.

જો દેશના દરેક નાગરિક તમારા જેવું વિચારે તો આ દેશનું શું થશે? વળી કોઈને મંત્ર દ્વારા દુર કરવા કરતા એને અનુકુળ થઇ અને નજીક આવશો તો સાથે રહેવામાં મજા પણ આવશે. સ્વચ્છતામાં પ્રભુતા છે.

સુચન: સોસાયટીના નૈરુત્યમાં જો નકારાત્મક વ્યક્તિ રહેતી હોય તો એની અસર સમગ્ર સોસાયટી પર આવી શકે છે. અને જો સકારાત્મક વ્યક્તિ રહેતી હોય તો તેની પણ અસર આવી શકે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular