Sunday, July 20, 2025
Google search engine
HomeNewsNationalCBI બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ કરશે, રેલ્વે મંત્રીએ જાહેરાત કરી

CBI બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ કરશે, રેલ્વે મંત્રીએ જાહેરાત કરી

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે. રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવે આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રેલવે ટ્રેકનું કામ થઈ ગયું છે. હવે ઓવરહેડ વાયરનું કામ ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ઘાયલોની સારવાર અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે. રેલવે બોર્ડે વધુ તપાસ માટે સમગ્ર મામલો સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.

એક ટ્વીટમાં રેલ્વે મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે અપ-લાઈનના ટ્રેકને જોડવાનું કામ સાંજના સવા પાંચ વાગ્યે પૂર્ણ થઈ ગયું છે. હવે ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ, તેમણે કહ્યું હતું કે હાવડાને જોડતી ડાઉન લાઇન પુનઃસ્થાપિત કરવામાં આવી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ટ્રેનો માટે હવે ઓછામાં ઓછો એક ટ્રેક તૈયાર છે, પરંતુ બાલાસોર અકસ્માત સ્થળે લૂપ લાઇન સહિત તમામ ટ્રેકને ઠીક કરવા માટે વધુ સમયની જરૂર છે.


જો કે, જ્યાં સુધી ઓવરહેડ ઈલેક્ટ્રિક કેબલ રિપેર ન થાય ત્યાં સુધી બંને લાઈનો પર માત્ર ડીઝલ લોકોમોટિવ જ ચલાવી શકાશે. ઓવરહેડ પાવર લાઈનો રિપેર થયા બાદ ઈલેક્ટ્રિક ટ્રેનો દોડવાનું શરૂ કરશે. રેલવે મંત્રીએ કહ્યું છે કે બુધવાર સવાર સુધીમાં લાઇન સાફ થઈ જશે. હકીકતમાં, શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપર ફાસ્ટ અને એક માલસામાન ટ્રેન શુક્રવારે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે.


રેલ્વેએ 139 હેલ્પલાઈન નંબર જારી કર્યો છે

ભારતીય રેલવેનું કહેવું છે કે તેણે ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના સંબંધીઓ અને ઘાયલ મુસાફરોની મદદ માટે હેલ્પલાઇન નંબર 139 પર વિશેષ વ્યવસ્થા કરી છે. રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ 139 હેલ્પલાઈન 24×7નું સંચાલન કરી રહી છે અને ઝોનલ રેલ્વે અને રાજ્ય સરકાર સાથે સંકલન કર્યા પછી કોલ કરનારને તમામ સંબંધિત વિગતો પૂરી પાડે છે. આટલું જ નહીં, રેલવેએ એક ઘાયલ યાત્રીના સંબંધીઓ માટે વિશેષ ટ્રેનની પણ વ્યવસ્થા કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular