Sunday, June 29, 2025
Google search engine
HomeNewsBusinessશું એર ઇન્ડિયા સિંગાપુર એરલાઇન્સની જેમે નફો રળી શકશે?

શું એર ઇન્ડિયા સિંગાપુર એરલાઇન્સની જેમે નફો રળી શકશે?

સિંગાપુરઃ સિંગાપુર એરલાઇન્સે (SIA) ગયા સપ્તાહે વાર્ષિક પરિણામો જાહેર કર્યા હતાં, જેમાં કંપનીએ 76 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ વાર્ષિક નફો નોંધાવ્યો હતો. માર્ચ, 2023ને પૂરા થતા નાણાકીય વર્ષમાં SIA ગ્રુપે SGD 215.7 લાખ (159.8 લાખ ડોલર)નો રેકોર્ડ ચોખ્ખો નફો કર્યો હતો, જ્યારે ગયા વર્ષે કંપનીએ SGD 96.2 લાખ (71.3 લાખ લાખ ડોલર)ની ખોટ નોંધાવી હતી. કંપનીએ SGD 311.9 લાખ (231. લાખ ડોલર)ની કમાણી કરી હતી.

કંપનીની આવક વાર્ષિક ધોરણે 133.4 ટકા અથવા SGD 1016 લાખ (752.6 લાખ ડોલર)થી વધીને રેકોર્ડ SGD 177.75 લાખ (1316.7 લાખ ડોલર) થઈ હતી. કંપનીની વાર્ષિક ક્ષમતામાં 94 ટકાનો વધારો થયો હતો, જે ટ્રાફિકમાં 449.9 ટકાનો વધારો દર્શાવે છે. આને પગલે પેસેન્જરોની આવ-જાની આવક 1056 લાખ સિંગાપુર ડોલરથી 37.63 ટકા વધીને 1336.6 લાખ સિગાપુરી ડોલર થઈ હતી. કંપનીની RASK ( રેવેન્યુ પર અવેલિબિલિટી સીટ-કિલોમીટર) 10 સિગાપુર સેન્ટ હતી, જે કેરિયરના ઇતિહાસમાં સૌથી વધુ હતી.

સમીક્ષા હેઠળના નાણાકીય ગાળામાં SIA ગ્રુપની બે એરલાઇનો –સિંગાપુર એરલાઇન્સની સંપૂર્ણ સર્વિસ અને લો-કોસ્ટ સ્કૂટે મળીને કુલ 2.65 કરોડ પેસેન્જરોને સર્વિસ આપી હતી, જે એક વર્ષ પહેલાંની તુલનામાં છ ગણી વધુ હતી. માર્ચ, 2023 સુધીમાં કોવિડ પહેલાંના સ્તરે માત્ર 79 ટકાની ક્ષમતા સાથે એરલાઇન હજી વધુ સારી કામગીરી કરે એવી શક્યતા છે. કંપની ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીને ક્ષમતા આશરે સરેરાશ 83 ટકાએ પહોંચવાની ક્ષમતા છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular