Saturday, June 21, 2025
Google search engine
HomeNewsGujaratતોડકાંડ મામલે આરોપી યુવરાજસિંહના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર

તોડકાંડ મામલે આરોપી યુવરાજસિંહના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર

તોડકાંડ મામલે ભાવનગર પોલીસ નવા નવા ખુલાસા કરી પુરાવા રજૂ કરી રહી છે. ત્યારે યુવરાજસિંહને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ યુવરાજસિંહના વધુ 2 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે, જેથી 1 મે બપોરે 3 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે. અગાઉ 22 એપ્રિલે યુવરાજસિંહને કોર્ટેમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવાયા હતાં.

ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહ જાડેજા પર ખંડણીનો ગુનો નોંધાયો છે. આ સિવાય તોડ કાંડમાં સંડોવાયેલ બે આરોપીઓને પણ જેલ હવાલે કરાશે. યુવરાજસિંહ જાડેજા સાથે સંડોવાયેલા બે આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ છૂટ્યા છે. બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાને જેલ હવાલે કરાયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular