Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalટ્વિટરે બ્લુ ટિક દૂર કર્યાઃ અનેક હસ્તીઓના એકાઉન્ટ નથી વેરિફાઇડ

ટ્વિટરે બ્લુ ટિક દૂર કર્યાઃ અનેક હસ્તીઓના એકાઉન્ટ નથી વેરિફાઇડ

નવી દિલ્હીઃ માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરે બધા વેરિફાઇડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કર્યું છે. એકમાત્ર વ્યક્તિગત ટ્વિટર ઉપયોગકર્તા કે જેમની પાસે ટ્વિટર બ્લુ ટિક છે, તેઓ એના માટે ચુકવણી કરી રહ્યા છે. જે લોકોએ બ્લુ ટિક પ્લાનનું પેમેન્ટ નથી કર્યું, તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવ્યા છે.

લિગસી વેરિફાઇડ અકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવાનું એલાન મસ્કે પહેલાં તેમણે કહ્યું હતું કે એપ્રિલથી લેગસી બ્લુ ટિક માર્ક વેરિફાઇ એકાઉન્ટમાંથી દૂર થઈ જશે. મસ્કે કહ્યું હતું કે જો બ્લુ ટિક જોઈએ તો એના માટે પ્રતિ મહિને ચુકવણી કરવી પડશે, જેનો ખર્ચ વેબના માધ્યમથી રૂ. 650 અને IOS-એન્ડ્રોઇડ દ્વારા રૂ. 900 છે.

એવા અકાઉન્ટ કે જેમના ટ્વિટરની પેઇડ સર્વિસ વિના બ્લુ અકાઉન્ટ મળ્યું હતું, એ એકાઉન્ટમાંથી હવે બ્લુ ટિક દૂર કરવામાં આવી ચૂક્યું છે. આ ક્રમમાં બોલીવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષયકુમારથી માંડીને ક્રિકેટ જગતના દિગ્ગજ વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને ભારતીય રાજકારણીઓ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, UP CM યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ CM માયાવતીના ટ્વિટર એકાઉન્ટમાંથી પણ બ્લુ ટિક દૂર કરવામાં આવ્યું છે.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા, ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન, મંત્રી સૌરભ ભારદ્વાજ વગેરે સહિત અનેક હસ્તીઓનાં નામ પણ ટ્વિટર પર બ્લુ ટિક દૂર કરવામાં આવ્યા છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular