Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsNationalગૌતમ અદાણી મળ્યા શરદ પવારને; બંધબારણે બે કલાક ચર્ચા કરી

ગૌતમ અદાણી મળ્યા શરદ પવારને; બંધબારણે બે કલાક ચર્ચા કરી

મુંબઈઃ હિંડનબર્ગ અહેવાલમાં જેમના બિઝનેસ ગ્રુપ પર છેતરપિંડી અને ગેરમાહિતી દ્વારા અરાજકતા ફેલાવવાના આરોપ મૂકવામાં આવ્યો છે તે ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. બંને મહારથી વચ્ચે બંધબારણે લગભગ બે કલાક સુધી ચર્ચા થઈ હોવાનો અહેવાલ છે.

અદાણી મુંબઈમાં પવારના નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ ખાતે ગયા હતા. બંને વચ્ચે કયા મુદ્દે ચર્ચા થઈ તે હજી સુધી જાણવા મળ્યું નથી. પરંતુ ઉદ્યોગ જગતમાં આની વ્યાપકપણે તર્કવિતર્કો થઈ રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular