Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratમાવઠાથી પાકને નુકસાન, શાકભાજીના ભાવમાં બમણો વધારો

માવઠાથી પાકને નુકસાન, શાકભાજીના ભાવમાં બમણો વધારો

ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જારી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC) અનુસાર કચ્છ, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, અરાવલી, બનાસકાંઠા, સુરત અને અન્ય જિલ્લાઓમાં શનિવાર મોડી રાત સુધી 15 મિમીથી વધુ વરસાદ વરસ્યો છે. રવિવાર રાત્રે 27 જિલ્લાઓના 11 તાલુકામાં એકથી 47 મિમી અને 18 જિલ્લાઓના 33 તાલુકાઓમાં 10 મિમીથી વધુ વરસાદ વરસ્યો હતો.

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રવિવારે બેઠક કર રાહત અને બચાવ કાર્યો અને પાકોને થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. ખાસ કરીને જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓમાં કેરી સહિત વિવિધ પાકોને ભારે નુકસાન થયો છે. મુખ્ય પ્રધાન પટેલે બધા જિલ્લા કલેક્ટરોને પાકને થયેલા નુકસાનની પ્રારંભિક સમીક્ષા કરીને રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.

હવામાન વિભાગે ગઈ કાલે કહ્યું હતું કે આગામી પાંચ દિવસો સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ હવાઓની સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં ઓલાવૃષ્ટિની સંભાવના પણ છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં સતત ત્રણ દિવસોથી સાંજથી મોડી રાત સુધી વરસાદ વરસે છે.

મુદાના ગામમાં વીજ પડવાથી 12 ઘેટાં, જમવારા ગામમાં એક ગાય અને દેલિયાથારા ગામમાં એક ભેંસ વૃક્ષની ઝપટમાં આવવાથી મોત થયું છે. ત્રણ તાલુકાઓમાં જીરું, વરિયાળી, તંબાકુ સહિત શાકભાજીઓનો પાક બરબાદ થવાથી ખેડૂતોની હાલત દયનીય છે.

રાજ્યમાં અનેક જગ્યાઓ પર માવઠાનો માર શાકભાજી પર પડ્યો છે. કોથમીર, મરચાં સહિત અનેક શાકભાજીઓની આવક ઘટી ગઈ છે. જેથી શાકભાજીની કિંમતો આકાશે આંબી રહી છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular