Saturday, June 28, 2025
Google search engine
HomeNewsGujaratબોલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂર અમદાવાદની મુલાકાતે

બોલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂર અમદાવાદની મુલાકાતે

અમદાવાદ: બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરે આજે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એઝ્યોર સલૂન અને નેઇલ્સની ચોથી પ્રીમિયમ ફ્રેન્ચાઈઝીને અતિથિ વિશેષ વર્ષા નથવાણી અને એઝ્યોર સલૂન અને નેઇલ્સના સ્થાપક અને સીઈઓ કૃપા લિમ્બાચીયાની હાજરીમાં લોન્ચ કરી હતી.

જાન્હવીએ આ પ્રસંગે કહ્યું, “મને આ જગ્યા ગમે છે કારણ કે તે પ્રીમિયમ સેવાઓ પૂરી પાડે છે. તેથી જ્યારે પણ હું શૂટિંગ અથવા અન્ય કોઈ પણ કામ માટે અમદાવાદમાં હોઈશ, ત્યારે હું આ સ્થળની મુલાકાત લેવા અને એઝ્યુર સલૂન અને નેઇલ્સની સેવાઓ લઇશ.” પોતાની મનપસંદ સલૂન સેવાઓ વિશે તેણે કહ્યું કે તેને સરસ હેડ મસાજ ગમે છે. “આઇ એમ અ પક્કા ચંપી-ગર્લ”, એમ તેણે ઉમેર્યું હતું.

“આ અમારું પ્રીમિયમ સલૂન છે જે હાઈ નેટવર્થ ગ્રાહકોને લક્ષ્યમાં રાખીને તૈયાર કરાયું છે,  તેઓ હેર સ્પા, નેઇલ આર્ટ, મેનીક્યોર, પેડિક્યોર અને બ્યુટી ટ્રીટમેન્ટ સુધીની સુવિધાઓ માટે તેમની સલૂનની ​​તમામ જરૂરિયાતો માટે વિશિષ્ટ સલૂન સ્યુટ બૂક કરી શકે છે,’ એમ એઝ્યોર સલૂન અને નેઇલ્સના સ્થાપક-સીઈઓ કૃપા લિમ્બાચિયાએ જણાવ્યું હતું.

એઝ્યોર સલૂન એન્ડ નેઇલ દ્વારા ​​અમદાવાદમાં પ્રહલાદનગર ખાતે તેનો આ ચોથો સ્ટોર લોન્ચ કરવામાં આવ્યો છે. આ પહેલા વસ્ત્રાપુરમાં માનસી સર્કલ, બોપલ અને ચાંદખેડાના તપોવન સર્કલ ખાતે ત્રણ સ્ટોર શરૂ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular