Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 1997 નવા કેસ, 9 મોત

કોરોનાના 1997 નવા કેસ, 9 મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1997 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 9 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 218.88 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,06,460 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,28,754 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,40,47,344  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3908 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 30,362એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.07 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2.13,123  લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 89.63 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.07 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.38 ટકા છે.

દેશમાં 218.88 લાખથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,18,88,17,589  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 3,97,407  લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular