Friday, July 4, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 16,561 નવા કેસ, 47નાં મોત

કોરોનાના 16,561 નવા કેસ, 47નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,561 નવા કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં 47 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 207.47 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,42,23,557 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,26,928 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,35,73,094  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 18,053 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,23,535એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.28 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.51 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,04,189 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 87.95 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.94 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 4.90 ટકા છે.

દિલ્હીમાં કોરોનાના 2700થી વધુ કેસ

દિલ્હીમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના વાઇરસના 2726 નવા કેસો નોંધાયા છે. આ પહેલાં આ વર્ષની બીજી ફેબ્રુઆરીએ કોરોનાના 3028 કેસો નોંધાયા હતા. દિલ્હીમાં કોરોના સંક્રમણ દર 14.38 ટકા નોંધાયો છે. દિલ્હીમાં કોરોના કેસ વધવાને કારણે ફરી એક વાર માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ માસ્ક નહીં પહેરે તો તેની પર દંડ લગાડવાની જોગવાઈ પણ સરકારે કરી છે.

દેશમાં 207.47 લાખથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,07,47,19,034  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 17,72,441  લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular