Saturday, June 14, 2025
Google search engine
HomeNewsNationalશ્રી શ્રી રવિશંકરને સૂરીનામનો  સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

શ્રી શ્રી રવિશંકરને સૂરીનામનો  સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

બેંગલુરુઃ આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપક શ્રી શ્રી રવિશંકરનું દક્ષિણ અમેરિકાના રાષ્ટ્ર સુરીનામના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર – ગ્રેન્ડ ગોર્ડન દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે. યેલો સ્ટારની આ માનદ્દ પદવી પ્રાપ્ત કરનાર રવિશંકર પહેલા એશિયાવાસી છે. રવિશંકરે હાથ ધરેલા માનવતાવાદી કાર્યો બદલ સૂરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ એમનું આ સમ્માન કર્યું છે. સામાન્ય રીતે આ એવોર્ડ કોઈ દેશના વડાને અપાય છે, પરંતુ આ પહેલી જ વાર તે કોઈ આધ્યાત્મિક ગુરુને આપવામાં આવ્યો છે. 

એવોર્ડ સમારંભ પ્રમુખના મહેલમાં યોજાયો હતો. એ વખતે ભારતીય રાજદૂત ડો. શંકર ભાલચંદ્રન પણ ઉપસ્થિત રહ્યા હતા.

રવિશંકરે એક ટ્વીટમાં કહ્યું કે આ એવોર્ડ માટેનો શ્રેય હું એ શિક્ષકો અને સ્વયંસેવકોને આપું છું જેઓ આ દેશમાં સરાહનીય સેવા બજાવી રહ્યાં છે. આ સમ્માન બદલ હું પ્રમુખ સંતોખી તથા જજીસનો આભાર માનું છું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular