Friday, May 23, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 17,070  નવા કેસ, 23નાં મોત

કોરોનાના 17,070  નવા કેસ, 23નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,070 નવા કેસ નોંધાયા છે,  છેલ્લા 24 કલાકમાં 23 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 197.74થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,34,69,234 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,25,139 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,28,36,906 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 14,413 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,07,189એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.55 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 5,02,150 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 86.20 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.07 ટકા છે.

દેશમાં 197.74 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,97,74,71,041 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 11,67,503 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular