Friday, June 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 11,793  નવા કેસ, 27નાં મોત

કોરોનાના 11,793  નવા કેસ, 27નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,793 નવા કેસ નોંધાયા છે,  છેલ્લા 24 કલાકમાં 27 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 197.31થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,34,18,839 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયના ડેટા કહે છે.

દેશમાં અત્યાર સુધી 5,25,047 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,27,97,092 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 9486 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 96,700એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.57 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,73,717 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 86.14 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.49 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.36 ટકા છે.

દેશમાં 197.11 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,97,31,43,196 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 19,21,811 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular