Friday, June 27, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 8822 નવા કેસ, 15નાં મોત

કોરોનાના 8822 નવા કેસ, 15નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8822 નવા કેસ નોંધાયા છે,  છેલ્લા 24 કલાકમાં 15 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 195.50થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 60,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,32,45,517 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,792 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,26,70,088 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 5718 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 53,637એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.66 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,40,278 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 85.52 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.05 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.32 ટકા છે.

દેશમાં 195.35 લાખ રસીના ડોઝ અપાયા 

દેશમાં અત્યાર સુધીમાં 1,95,50,87,271 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 13,58,607 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular