Friday, May 23, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2706 નવા કેસ, 25નાં મોત

કોરોનાના 2706 નવા કેસ, 25નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2706 નવા કેસ નોંધાયા છે,  જેમાં ગઈ કાલની તુલનાએ 4.3 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા કલાકમાં 25 લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 193.31થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 20,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,55,749 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,611 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,26,13,440 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2070 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 17,698એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,78,267 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 85.00 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 0.69 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.49 ટકા છે.

દેશમાં 193.31 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,93,31,57,352 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2,28,823 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular