Monday, June 23, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3275 નવા કેસ, 55નાં મોત

કોરોનાના 3275 નવા કેસ, 55નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3275 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ આશરે 2.1  ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા કલાકમાં 55 લોકોનાં મોત થયાં છે, દેશમાં સક્રિય કેસો 20,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 189.63 કરોડ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,30,91,393 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,23,975 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,25,47,699 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3010 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 19,719એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,23,430 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 83.89 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.98 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.76 ટકા છે.

મુંબઈમાં કોરોનાના કેસોમાં વધારો

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 117 કેસો નોંધાયા છે, જે છેલ્લા બે મહિનામાં સૌથી વધુ છે. આ પહેલાં 24 ફેબ્રુઆરીએ એક દિવસમાં કોરોનાના 119 નવા કેસો નોંધાયા હતા. મુંબઈમાં પોઝિટિવિટી રેટ 1.66 નોંધવામાં આવી છે.

દેશમાં 189.63 લાખ  રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,89,63,30,362 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 13,98,362 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular