Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2927 નવા કેસ, 32નાં મોત

કોરોનાના 2927 નવા કેસ, 32નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસોમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2927 નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ 18 ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા કલાકમાં 32 લોકોનાં મોત થયાં છે, દેશમાં સક્રિય કેસો 20,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં  188.19 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં અત્યાર સુધીમાં 4,30,65,496 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં મંગળવારે કોરોના વાઇરસના કેસોમાં સંક્રમણના 1204 નવા કેસો નોંધાયા હતા.

દેશમાં અત્યાર સુધી 5,23,654 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,25,25,563 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2252 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 16,279એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 5,05,065 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 83.59 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.22 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.23 ટકા છે.

દેશમાં 188.19 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,88,19,40,971 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 21,97,082 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular