Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 913 નવા કેસ, 13નાં મોત

કોરોનાના 913 નવા કેસ, 13નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 913 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ મામૂલી ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 લોકોનાં મોત થયાં છે, દેશમાં સક્રિય કેસો 15,000ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 184.70 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,30,29,044 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,21,358 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,24,95,089 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1316 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 12,597એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.76 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,14,823 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 79.04 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.24 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.33 ટકા છે.

દેશમાં 184.70 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,84,70,83,279 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2,84,073 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular